Swadesi
National

યાત્રિકોની વધુ એક ટુકડી જમ્મુથી અમરનાથ યાત્રા માટે રવાના થઈ

Editorial1 min read
Share
યાત્રિકોની વધુ એક ટુકડી જમ્મુથી અમરનાથ યાત્રા માટે રવાના થઈ

Baltal: Porters carry a pilgrim in a palanquin at the Baltal base camp for the annual Amarnath Yatra, in Baltal, Jammu and Kashmir, Sunday, July 5, 2026. (PTI Photo)(PTI07_05_2026_000235B)

Editorial

જમ્મુઃ વાર્ષિક અમરનાથ યાત્રા માટે સોમવારે વહેલી સવારે ભગવતી નગર બેઝ કેમ્પમાંથી 1,211 મહિલાઓ સહિત 5,794 યાત્રાળુઓની નવી ટુકડી રવાના થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. 3 જુલાઈએ યાત્રા શરૂ થઈ ત્યારથી લગભગ 60,000 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં પ્રાર્થના કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચમી બેચમાં 21 બાળકો સહિત 599 સાધુઓ અને 76 સાધવીઓનો સમાવેશ થાય છે. તેઓ કડક સુરક્ષા હેઠળ સવારે 3.10 થી 3.45 વાગ્યાની વચ્ચે અલગ - અલગ કાફલાઓમાં બેઝ કેમ્પમાંથી નીકળી ગયા હતા. તેમાંથી 139 વાહનોમાં મુસાફરી કરતા 3,490 યાત્રાળુઓ પહલગામમાં નુવાન બેઝ કેમ્પ તરફ જઈ રહ્યા છે જ્યારે 128 વાહનોમાં 2,304 યાત્રાળુઓ બાલટાલ બેઝ કેમ્પ તરફ જઇ રહ્યા છે. તીર્થયાત્રીઓ અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિલોમીટરના નુનવાન - પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકા પરંતુ ઊંચા 14 કિલોમીટરના બાલટાલ માર્ગ દ્વારા એક સાથે યાત્રા કરી રહ્યા છે. દક્ષિણ હિમાલયમાં 3,880 મીટર ઊંચા ગુફા મંદિરની 57 દિવસની વાર્ષિક યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થવાની છે.

Get Swadesi News in your inbox

Top stories, mandi prices, weather alerts — once a day, in your language. Free, no spam.

Related Locations